જ્યારે પોતાની મનગમતી વ્યક્તિ મળે ત્યારે તેને આવુ કહેવાનું મન તો જરુર થાય અને તેને પૂછી બેસાય જ ને કે એય તને મનમા સમાવું..?

janvi   ફોટા માટે જ્હાનવીજી નો આભાર

એય, તને મનમાં સમાવું તો ચાલશે?
રાતડીની નીંદર ને નીંદરમાં સપનાં,
ને સપનામાં આવું તો ચાલશે?

પ્રશ્નો પર પ્રશ્નો હું પૂછ્યાં કરું
ને બસ પૂછ્યાં કરું છું એ જ ધૂનમાં
સૃષ્ટિમાં રોજ તને નીરખ્યાં કરું
ને બસ નીરખ્યાં કરું છું તને તૃણમાં
એય, તને બોલાવું ત્યારે તું આવશે?

લાગણીના અણદીઠ્યાં શ્વેત શ્વેત રંગ મહિ
ઇન્દ્રધનુષી એક વાત
સંબંધો જોડવા ઇચ્છાઓ જન્મે
ને ઇચ્છાઓ થામી લે હાથ
એય, મારી ઇચ્છાનો બાગ હવે ફાલશે?

ઇચ્છાઓ જન્મે તો પૃચ્છાઓ જન્મે
ને પ્રશ્નાર્થને સમજી તો લે
ચૂપ ચૂપ રહીને પણ કહેવું જરૂર
એ ભાવાર્થને સમજી તો લે
એયસાથે રહેવું શું તને ફાવશે?

એય, તને મનમાં સમાવું તો ચાલશે?
રાતડીની નીંદર ને નીંદરમાં સપનાં,
ને સપનામાં આવું તો ચાલશે?

3 Responses to “એય, તને મનમાં સમાવું તો ચાલશે?……આશા પુરોહિત”


  1. Jayshree says:

    This poem is written by Asha Purohit.

    http://tahuko.com/?p=1149

    It would be great if you can have the name of the peot… She deserves the credit.


  2. Vishvas says:

    Thank you jayshriben,

    So now i can get the poet name and one entry is less in anamika i.e. agnat kawio… thanks again to know me poet. obviously she deserves credit….


  3. loans canada says:

    sulabhgurjari.com is very informative. The article is very professionally written. I enjoy reading sulabhgurjari.com every day.

Leave a Reply