જય શ્રીકૃષ્ણ મિત્રો,

                આજે છે ૨૮મી ડિસેમ્બર. આજે છે મહોરમ. મુસ્લિમો માટેનો એક માતમ અને શહિદ દિન.આજે પણ જ્યારે ધર્મના નામે લડાઈ અને આતંકવાદના નામે લેવાતા નિર્દોષ લોકોના ભોગને કારણે હૃદય દ્રવી ઉઠે છે કે શું આ માનવજાતની સર્વોચ્ચતા છે આના કરતા તો એ પશુ સારા કે જેઓ પરસ્પર હળીમળીને રહે છે, અને માનવ સિવાય કોઈ પણ પ્રાણી પોતાના વંશજ કે જાતિના પ્રાણી પર હુમલો ક્યારેય કરતા આજ દિન સુધી કોઈએ જોયા નથી.કોઈ પશુ ને પશુ થવા નથી કહેવુ પડાતું, પરંતુ માનવ ને કહેવું પડે છે કે માણસ થા…શું સાચે જ આપણી માનવતા ગુમાવી બેઠા છીએ. ના હજી પણ સમય છે , જાગ્યા ત્યારથી સવાર. ચાલો આજના દિને પ્રણ લઈએ કે હંમેશા ભાઈચાર અને પ્રેમ અને શાંતિથી રહીશું અને સમસ્યાને ઉકેલશું.આજે સાહિર લુધિયાનવીનું એક ફિલ્મ ફિર સુબહ હોગી નું ગીત  રજું કરું છું આશા છે આપ સૌને ગમશે.અને આપના અમૂલ્ય પ્રતિભાવોની પ્રતિક્ષા રહેશે

 

 

 

 

वो सुबह कभी तो आयेगी, वो सुबह कभी तो आयेगी.

 

ईन काली सर्दीयों के सर से, जब रात का आचल ढलकेगा,

जब दुःख के बादल पिघलेंगे, जब सुख का सागर छलकेगा.

 

जब अंबर झूम के नाचेगा, जब धरती नगमे गायेगी,

वो सुबह कभी तो आयेगी,वो सुबह कभी तो आयेगी.

 

जिस सुबह की खातिर जुग जुग से, हम सब मर मर कर जीते है,

जिस के अमृत की बूंद में, हम ज्ञहर के प्याले पीते है,

 

ईन भूखे प्यासे रुंहो पर, एक दिन तो करम फरमायेगी,

वो सुबह कभी तो आयेगी,वो सुबह कभी तो आयेगी.

 

माना के अभी तेरे मेरे अरमानो की किमत कुछ भी नही,

मिट्टी का भी है कुछ मोल मगर, ईन्सानो की किमत कुछ भी नही.

 

ईन्सानो की ईज्जत जब झूठे सिक्कोमें ना तोली जायेगी,

वो सुबह कभी तो आयेगी,वो सुबह कभी तो आयेगी.

જય શ્રીકૃષ્ણ મિત્રો,

એક વાત તો કહેવાની રહી જ ગઈ કે ગઈકાલે હતી શ્રી સાહિર લુધિયાનવીની પુણ્યતિથિ.તો તેમનું આ ગીત જે મને ખૂબ જ ગમે છે તે હિન્દીમાં રજૂ કરું છું ……

चलो इक बार फिर से अजनबी बन जाएं हम दोनों

न मैं तुमसे कोई उम्मीद रखूं दिलनवाज़ी की
न तुम मेरी तरफ़ देखो ग़लत-अंदाज़ नज़रों से
न मेरे दिल की धड़कन लड़खड़ाए मेरी बातों में
न ज़ाहिर हो तुम्हारी कश्मकश का राज़ नज़रों से

तुम्हें भी कोई उलझन रोकती है पेश-क़दमी से
मुझे भी लोग कहते हैं कि ये जलवे पराए हैं
मिरे हमराह भी रुसवाईयां हैं मेरे माज़ी की
तुम्हारे साथ भी गुज़री हुई रातों के साए हैं

तआरुफ़ रोग हो जाए तो उसको भूलना बेहतर
तअल्लुक़ बोझ बन जाए तो उसको तोड़ना अच्छा
वो अफ़साना जिसें अंजाम तक लाना न हो मुमकिन
उसे इक खूबसूरत मोड़ देकर छोड़ना अच्छा

चलो इक बार फिर से अजनबी बन जाएं हम दोनों

 

તથા આજ ગીતનો અનુવાદ કરેલ રઈશ મણીયારની રચના જે મને લયસ્તરોમાંથી મળી તે પણ તેમને શ્રદ્ધાંજલિ આપતા અર્પણ કરું છું..

 

ફરી પાછાં અજાણ્યાં આપણે બંને બની જઈએ

અપેક્ષા હું નહીં રાખું હૃદયની સરભરા કેરી
તમે મારી તરફ જોશો નહીં મર્માળુ નજરોથી
હૃદય ધબકાર મારી વાતો દ્વારા વ્યક્ત નહીં થાશે
પ્રગટ થઈ જાય ના તારી દ્વિધાનો ભેદ આંખોથી

તને પણ પહેલ કરતાં મૂંઝવણ કોઈ તો રોકે છે
મને પણ સૌ કહે કે છે પરાઈ રૂપની માયા
વીતેલા કાળના અપમાન સૌ મારા સંગાથી છે
ને તારી સાથ પણ વીતેલી રાતોના છે પડછાયા

પરિચય રોગ થઈ જાયે તો એને ભૂલવો સારો
પ્રીતિનો બોજ જો લાગે તો એને તોડવી સારી
કથા જેને ન પહોંચાડી શકાતી હોય મંઝિલ પર
તો એને એક સુંદર મોડ આપી છોડવી સારી

ફરી પાછાં અજાણ્યાં આપણે બંને બની જઈએ

……………………………………………

આભાર  લયસ્તરો

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect. Entries (RSS) | Comments (RSS).