Next Page »

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૧૬મી નવેમ્બર.આજે મારી બહેન હિનાબેનનો જન્મદિન છે.આમ તો ખુશી નો અવસર છે પણ આજે એક પિતાની દ્રષ્ટિએ એક વ્યથા કહેવી છે.આ મહિનામાં જ મારી બંને બહેનોના જન્મદિન આવે છે.તો બાળપણના એ દિવસો યાદ આવી ગયા.તો પપ્પાની નજરે આ વાતને વિચારે મારું મન ચડી ગયું કે તેમના મનમાં શું ચાલી રહ્યું હશે.?જેમની બે બે દીકરી આજે લગ્ન કરીને વિદાય થઈ ગઈ છે જે તેમની લાડકી આજે તેમની નજરોથી દૂર છે. ભલે તેઓ સાસરાં સુખી હોય અને તેમને પણ બે-બે દીકરા/દીકરી હોય પણ તોય તેની ચિંતા તો તેમને પણ થતી જ હશે ને…?બસ બધી લાગણીઓને શબ્દોમાં વ્યક્ત ન જ થઈ શકે.તેથી આજે રજું કરું છું આવી જ એક દીકરીની વિદાય વેળાનું  શ્રી રમેશ પટેલ આકાશદીપની ઉપાસના કાવ્યસંગ્રહની કૃતિ.. અને એક અરજ છે જો આપની પાસે હોય તો મને આ ગીત આપશો “આખરે ઉજાગરાનો અંત આવ્યો.”કેટલાય સમયથી આ ગીત શોધી રહ્યો છું…ચાલો ત્યારે જય શ્રીકૃષ્ણ.

 

વહાલી દીકરી
મમતાએ મઢી
સંસ્કારે ખીલી
વહાલી દીકરી
ભર બપોરે દોડી
 
બારણું ખોલી
ધરે જળની પ્યાલી
વહાલી દીકરી
હસે તો ફૂલ ખીલે
ગાયે તો અમી ઝરે
ગુણથી શોભે પૂતળી
વહાલી દીકરી
રમે હસતી સંગ સખી
માવતર શીખવે પાઠ વઢી
સૌને હૃદયે તારી છબી જડી
વહાલી દીકરી
વીતી અનેક દિવાળી
જાણે વહી ગયાં પાણી
સોળે કળાએ ખીલી જાણે રાણી
વહાલી દીકરી
પૂજ્યાં તે માત પાર્વતી
પ્રભુતામાં માંડવા પગલી
લેવાયાં લગ્ન આંગણિયે
મહેંકે સુગંધ તોરણિયે
દિન વિજયા દશમી
વહાલે વળાવું દીકરી
વાગે શરણાઈ ને ઢોલ
શોભે વરકન્યાની જોડ
વિપ્ર વદે મંગલાષ્ટક
શોભે કન્યા પીળે હસ્ત
આવી ઢૂંકડી વિદાય વેળા
માવતર ઝીલે છૂપા પડઘા
વ્યથાની રીતિ ના સમજાતી
વાત કેમ કહેવી બોલે દીકરી
ઝીલ્યા વડીલોના મોંઘા બોલ
વગર વાંકે ખમ્યા સૌના તોલ
દીકરીની વ્યથા ઉરે ઉભરાણી
કેમ સૌ આજ મને દો છોડી
આવી રડતી બાપની પાસે
બોલી કાનમાં ખૂબ જ ધીરે
કોને બોલશો-વઢશો પપ્પા હવે
હું તો આજ સાસરિયે ચાલી
કેવું અંતર વલોવતા શબ્દો બોલી
જુદાઈની કરુણ કેવી કથની
થયો રાંક લૂંટાઈ દુનિયા મારી
આજ સંબંધની સમજાણી કિંમત ભારી
આંખનાં અશ્રુ બોલે વાણી
નથી જગે તારા સમ જીગરી
તું સમાઈ અમ શ્વાસે દીકરી
તારા શબ્દો ટપકાવે આંખે પાણી
ઓ વહાલી દીકરી
ઘર થયું આજ રે ખાલી

………………………
રમેશ પટેલ(આકાશદીપ)

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૧૪મી નવેમ્બર.આજે ઉજવાઈ રહ્યો છે વિશ્વ બ્લડપ્રેશર દિનWorld Blood pressure Day”.અને વિશ્વ ડાયાબીટીસ દિન…આપણી રોજિંદા જિવનશૈલીમાં આવેલા પરિવર્તનને કારણે મોટાભાગના લોકો આ બિમારીથી પીડાય છે.આમ તો જો પોતાના જીવનમાં થોડી સાવધાની અને સંયમિતતા રાખવામાં આવે તો આ દર્દને અંકુશમાં રાખી શકાય છે.જેમકે, ખાવામાં મીઠાનું (બંને સ્વાદમાં ખારા અને ગળ્યા) પ્રમાણ માપસર રાખવું આપણા પાપડ,અથાણા નો ત્યાગ કરવો, બેઠાડા જીવનમાં પણ કસરત કરવી તથા આ રોગની નિયમિત દવા લેવી અને સમયાંતરે દાક્તર પાસે બ્લડપ્રેશર અને બ્લડ સુગર મપાવતા રહેવું વગેરે વગેરે… તો મિત્રો માનશો ને અને તમારા ઘરમાં કે પડોશમાં જેને પણ હોય તેને પણ પ્રેરશોને…

વળી આજથી એટલેકે ૧૪મી નવેમ્બરથી ૨૦ નવેમ્બર સુધી તાજા જન્મેલા બાળની સારસંભાળ અઠવાડીયું, ન્યુ બોર્ન ચાઈલ્ડ કેર વીક ઉજવવામાં આવવાનું છે.અને ખાસ તો આજે છે બાળકોના પ્યારા ચાચા નહેરું નો જન્મદિન એટલે કે બાળદિન.આજે શાળાઓ તથા ઘણી જગ્યાએ આ માટેના કાર્યક્રમો યોજાયા હશે.પણ આજે એક બાળગીત જ છે પણ આપણા ભારતદેશના ભવ્ય ભૂતકાળની એક ઝલક આજના બાળકને અપાવે તેવું આ ગીત અહીં રજુ કરું છું… અને આ રચનાને માંણો સુર સાથે સુલભગુર્જરીમાં…

 

 

आओ बच्चो तुम्हे दिखाये झाकी हिन्दुस्तान की
इस मिट्टि से तिलक करो यह धरती है बलिदान की॥धृ॥
वन्दे मातरम् वन्दे मातरम्

ये है अपना राजपूताना नाज्ञ ईसे तलवारों पे,

जिसने सारा जिवन काटा बरछी,तीर क़टारों पे,

ये प्रताप का वतन पला है आझादी के नारों पे,

कूद पडी थी यहां हजारो पद्मिनीया अंगारो पे,

बोल रही है कण कण से कुरबानी राजस्थान की,

इस मिट्टि से तिलक करो यह धरती है बलिदान की॥धृ॥

वन्दे मातरम् वन्दे मातरम्

ये हे मुल्क मराथाओं का यहां शिवाजी डॉला था,
मुघलों की ताकत को इसने तल्वारों पे तोला था,
हर परबत पर आग लगी थी, हर पत्थर एक सोला था,
बोली हर हर महादेव की बच्चा बच्चा बोला था,
शेर शिवाजी ने रखी थी लाज हमारी जान की,
इस मिट्टि से तिलक करो यह धरती है बलिदान की॥धृ॥
वन्दे मातरम् वन्दे मातरम्

जलियावालां बाग को देखो, यहां चली थी गोलियां,
ये मत पूछो किसने खेली यहां खून की होलियां
एक तरफ बंदूक की धन्-धन एक तरफ थी गोलियां
मरनेवाले बोल रहे थे ईंकलाब की बोलियां,
यहां लगा दी बहेनोंने॓ भी बाजी अपनी जान की,

इस मिट्टि से तिलक करो यह धरती है बलिदान की॥धृ॥
वन्दे मातरम् वन्दे मातरम्

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે કારતક સુદ પુનમ.દેવદિવાળી.કહે છે કે આજ બાદ હવે લગ્નસરાની મોસમ ચાલું થાય છે અને વિષ્ણુ ભગવાનના તુલસી સાથે વિવાહ થયા હતા. આ બાબતે એક સવાલ છે કે અગિયારસના દિને વિષ્ણુ ભગવાન નિંદ્રામાંથી ઉઠ્યા હોવાથી દેવ ઉઠી એકાદશી કહેવાય છે અને તેમના લગ્ન વૃંદા સાથે થાય છે તે દેવદિવાળી કહેવાય છે.મિત્રો આપ આ બાબતમાં જાણતા હોવ તો મને જણાવવા વિનંતી છે.અને આજે દેવો તથા સર્વે માનવો અને સમગ્ર સૃષ્ટીને દેવદીવાળીની શુભ્કામનાઓ સાથે આજે જીવન નો ચંદ્રવદન કાકાએ લખેલો એક કક્કો રજુ કરું છું. વળી આજે દેવદિવાળીના શુભ અવસરે ફરી એકવાર ગુજરાતી વેબ-જગતને અપડેટ કરી મૂકી રહ્યો છું.

,,એટલે કમાવું, ખાવું અને ગમ્મત મોજશોખમાં ગાવું,

આવી,,ની જીંદગી ના માનવ મારે ના રે થાવું

ચાલો, માનવ જીવન જીવવાનો કક્કો શીખીયે આપણે આજે ! (ટેક)

એટલે જીવનમાં ઘસાતુંના બોલી, જાતે ઘસાઈ ઉજળા થઈએ,

એટલે ચતુરાઈ ભર્યું જીવન જીવી આગેકુચ કરીયે,

એટલે બીજાને છેતરવાની દાનત જીવનમાંથી છોડીએ,

એટલે કામ કરતા જશની અપેક્ષા વગર અન્ય સાથે સારા સંબંધો રાખી જીવીએ,

એટલે ઝટપટ પ્રત્યુતર આપી કોઈનું દિલ દુભાય એવું વર્તન ના કરીએ,

હવે, માનવ જીવન જીવવાનો કક્કો થોડો સમ્જ્યા ? ચાલો…. (૧)

એટલે ટાઢ તડકામાં દુન્યવી પ્રવ્રુતિઓ સાથે આધ્યાત્મિક પ્રવ્રુતિઓ પણ કરીએ,

એટલે કોઈને ઠગવુ નહી એવો વિચાર પણ ના કરીયે,

એટલે જીવનમાં ના ડરીયે, અને સાચા રસ્તે જઈએ,

એટલે ઢગલાનું પ્રતિક છોડી, કોઈના દોષ ઢાંકી, સમજાવી નવજીવન એને દઈએ,

એટલે તરત વાતનું સમજ્યા વગર રજનું ગજના કરીએ,

હવે, માનવ જીવન જીવવાનો કક્કો થોડો સમ્જ્યા ? ચાલો…. (૨)

એટલે થાકનું મહત્વ સમજી, આરામ લેતા આરામી જીવનના કરીએ,

એટલેદીધા કરતાં દયા ભલીસુત્રે દયાવાન થઈએ,

એટલે ધર્મકાર્યમાં હંમેશા આગળ આગળ જઈએ,

એટલે નમ્રતાના ગુણે નમ્રતાભર્યો વહેવાર જીવને કરીએ,

એટલે પ્રમાણિકતા સહિત પ્રગતિના પંથે જઈએ,

હવે, માનવ જીવન જીવવાનો કક્કો થોડો સમ્જ્યા ? ચાલો… (૩)

એટલે ફના બની, અન્યના જીવનમાં ઉપયોગી થઈએ,

એટલે બળાપો છોડી, બચત કરી જીવને બઢતી કરીએ,

એટલે ભલાઈનાં કામો કરી, અન્યને પ્રકાશ દઈએ,

એટલે મદનો ત્યાગ કરી, “મેં કર્યું, મેં કર્યુને છોડીએ

એટલે યતિના જીવનમાંથી બોધ મેળવી, જીવન મહ્ત્વને સમજીએ,

હવે, માનવ જીવન જીવવાનો કક્કો થોડો સમ્જ્યા ? ચાલો… (૪)

એટલે રમકડા જેવા માનવ જીવને રતિભાર ખોટું ના કરીએ,

એટલે લાવ,લાવ કરી બીજાનું લેવાની ભાવના છોડી દઈએ,

એટલે વમળની વચ્ચે શિરતા રાખી, સંસારી જીવન જીવીએ,

એટલે શેષ યાને વધેલું અન્યને વહેંચી સંતોષ અનુભવીએ,

એટલે સારા કામો કરી સંસારે સેવા ભાવનાઓ જાગ્રુત કરીએ,

હવે, માનવ જીવન જીવવાનો કક્કો થોડો સમ્જ્યા ? ચાલો (૫)

એટલે હલકી મનોવ્રુતિ છોડી, હનુમાનજી જેવા થઈએ,

એટલે બળનો ઉપયોગ સારા કામો માટે કરીએ,

ક્ષએટલે ક્ષમાવીરનું ભૂષણ અપનાવી, દંડ વ્રુત્તિને છોડીએ,

જ્ઞએટલે જ્ઞાન પ્રાપ્ત કરી, જીવનને યજ્ઞ રૂપ બનાવીએ,

એટલે ,,,ઓ માં એંતે ઑમકારનિહાળી,સર્વકાર્યે પ્રભુ સ્મરણ જ કરીએ,

 હવે, માનવ જીવન જીવવાનો કક્કો થોડો સમ્જ્યા ? ચાલો (૬)

ઈન્દુભાઈ સ્વામીના બોધમાથી જીવન કક્કો ભવાનભાઈએ પ્રથમ કહી દીધો,

જેને, ચંદ્રે એક કાવ્યરૂપે પ્રગટાવી સૌને અર્પણ કીધો,

હવે, જીવનમાં માનવે શું કરવું શું ના કરવું, એ તો માનવ જાણે,

ખુશી એટલી જ કે સૌને કહેવાની તક મળી ચંદ્રને, એવું એ તો માને !

 ………………………………………….

જાન્યુઆરી ૧૧,૨૦૦૮